BBC News, ગુજરાતી - સમાચાર
Top Stories
પંચમહાલ અને રાજકોટમાં પણ ‘સુરતવાળી’ થતાં રહી ગઈ? કૉંગ્રેસ નબળી ક્યાં પડે છે?
કૉંગ્રેસના સુરતના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયા બાદ સુરત બેઠક પર જે રીતે ભાજપનો નિર્વિરોધ વિજય થયો તેનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા. આ ઘટનાથી ભાજપ પર તો સવાલો ઉઠ્યા જ હતા પરંતુ કૉંગ્રેસની કાર્યપદ્ધતિ સામે પણ અસંખ્ય સવાલો ઉભા થયા હતા.
ગુજરાત : પાણીપુરીની લારી ચલાવતા પિતાના પુત્રનું બારમામાં 92% છતાં MBBSમાં ઍડમિશન કેમ રદ કરી દેવાયું?
મૂળ ઉત્તરપ્રદેશના વતની રામસિંગ જાતે આઠમા ધોરણ સુધી જ ભણ્યા છે. તેમના પુત્ર અલ્પેશ દસમા- બારમા ધોરણમાં તેમજ મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષામાં ઝળહળતું પરિણામ તો મેળવ્યું અને વડોદરાની સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ પણ મળી ગયો. પરંતુ ઍડમિશન માટે અપાયેલા દસ્તાવેજોમાં કંઈક એવી તકલીફ સામે આવી કે ઍડમિશન રદ કરી દેવામાં આવ્યું અને હવે મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
ભાજપે ઉજ્જવલ નિકમને મુંબઈ ઉત્તર-મધ્યના ઉમેદવાર જાહેર કર્યા
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024 માટેના ઉમેદવારોમાં વધુ એક નામ જાહેર કર્યું છે અને એ છે વકીલ ઉજ્જવલ નિકમનું. ભાજપની પ્રેસ રિલીઝ અનુસાર, ઉજ્જવલ દેવરાવ નિકમને મુંબઈ ઉત્તર-મધ્યના ઉમેદવાર જાહેર કરાયા છે.
શેંજેન વિઝા: ભારતીયો માટે યુરોપના 29 દેશોમાં જવા હવે વિઝા પ્રક્રિયા કઈ રીતે સરળ બનશે?
શેંજેન દેશો તરીકે ઓળખાતા યુરોપના 29 દેશો ભારતીયોને રાહત આપતી એક અગત્યની યોજના લઈને આવ્યા છે. આ યોજના હેઠળ તમને જો એકવાર યુરોપના વિઝા મળશે તો ત્યારબાદ તમે યુરોપના દેશોમાં વારંવાર જઈ શકશો અને તમારે વારંવાર દર વખતે વિઝા માટે અરજી નહીં આપવી પડે.
ભારતીય પરિવારોની બચત કેમ ઘટી રહી છે અને એનું દેવું કેમ વધી રહ્યું છે?
નાણાકીય વર્ષ 2023માં ભારતીય ઘરેલુ બચત ઘટીને કુલ ઘરેલુ ઉત્પાદનના (જીડીપી) 5.3 ટકા જેટલી થઈ ગઈ હતી. જે વર્ષ 2022માં 7.3 ટકા હતી. એક અર્થશાસ્ત્રીએ આ ઘટાડાને “નાટકીય” ગણાવ્યો હતો.
વલસાડ લોકસભા બેઠક પર ભાજપ હેટ્રિક નોંધાવશે કે અનંત પટેલ બાજી જીતી જશે?
ગુજરાતમાં 7 મેએ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને આ ચૂંટણી માટે ખરાખરીનો જંગ વલસાડ બેઠક પર જામ્યો છે. ભાજપ અહીં વિજયની હૅટ્રિક નોંધવવા પ્રયાસ કરી રહ્યો છે તો કૉંગ્રેસ જીત હાંસલ કરવા બનતું કરી છૂટવા માગે છે.
વીડિયો, ગાઝા : ઇઝરાયલી હુમલામાં મૃત્યુ પામેલી માતાના ગર્ભમાંથી બહાર કઢાયેલી બાળકી મૃત્યુ પામીઅવધિ, 1,46
ઇઝરાયલીઓએ રફાહમાં અલ-સકાની ફેમિલી હોમ પર બૉમ્બ ઝીંક્યો હતો અને સબરીન, તેમના પતિ અને તેમની ત્રણ વર્ષની બાળકી મલકનાં મૃત્યુ થયાં હતાં.
ગુજરાતમાં પટેલોનો દબદબો કઈ રીતે વધ્યો અને ક્ષત્રિયોનું પ્રભુત્વ કઈ રીતે ઘટતું ગયું?
હાલમાં પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેની ટિપ્પણીઓ અંગેનો વિવાદ હજુ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. આ ઘટના બાદ ગુજરાતમાં ક્ષત્રિયો અને પટેલોની ચર્ચા શરૂ થઈ છે. એક નજર ક્ષત્રિય અને પટેલોના રાજકીય પ્રભુત્વ પર કરીએ.
દરરોજ નાહવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય? રોજ ના નાહવું જોઈએ?
વારંવાર સ્નાન ન કરતા અમારા જેવા લોકોને શંકાની નજરે જોવામાં આવે છે. પ્રકૃતિપ્રેમીઓ, તંબુમાં રહેતા હિપ્પીઓના કિસ્સામાં જ નહીં, પરંતુ ઓછી વખત સ્નાન કરતા ટિકટોક યુઝર્સ તેમજ સેલિબ્રિટીઝના કિસ્સામાં પણ એવું બને છે.
ભારત/વિદેશ
કચ્છના બન્નીથી લઈને મોરબીનાં સિરામિક્સ કારખાનાંમાં કામ કરતાં લોકોના મુદ્દા શું છે?
કચ્છ દેશની સૌથી મોટો વિસ્તાર ધરાવતી લોકસભા બેઠકોમાંથી એક છે. અહીંનાં ગામડાંમાં અનેક સ્થળે લોકો ભાજપને પસંદ કરે છે, તો અમુક ગામડાંઓમાં પરશોત્તમ રૂપાલાના પૉસ્ટર પર ચોકડી મારીને ભાજપના કાર્યકર્તાઓની ‘નો-એન્ટ્રી’ કરી દેવામાં આવી છે. લોકોમાં પોતાની સમસ્યાઓની ફરિયાદો બાબતે ભાજપ સામે વાંધો પણ છે.
બાંગ્લાદેશના મંદિરમાં મૂર્તિઓ સળગાવી દેવામાં આવી, પછી શું થયું?
બાંગ્લાદેશના ફરીદપુર જિલ્લામાં તણાવની સ્થિતિ છે. અહીં એક મંદિરમાં આગ લગાડવામાં આવી અને બે ભાઈઓને મારી મારીને તેમની હત્યા કરી દેવાની ઘટનાના એક અઠવાડીયા પછી પણ તણાવની પરિસ્થિતિ યથાવત્ છે.
ગુજરાત : ધર્મરથ શું છે અને ક્ષત્રિયો ધર્મરથ કેમ કાઢી રહ્યા છે?
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ છે. તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ અને ઉમેદવાર સી. આર. પાટીલે ફરી એક વાર ક્ષત્રિય સમાજને 'મોટું મન રાખવા' અપીલ કરી છે. જોકે ક્ષત્રિય સમાજ નમતું જોખવાના મૂડમાં નથી અને હવે તેણે ગુજરાતમાં 'ધર્મરથ'નું આયોજન કર્યું છે.
આસામ-મણિપુરમાં જોવા મળતો આ દુર્લભ સાપ 2000 કિલોમીટરનું અંતર કાપીને સુરત કેવી રીતે પહોંચ્યો?
સંશોધકોનો દાવો છે કે તેમને જાણવા મળ્યું કે સુરતમાંથી મળેલો આ સાપ દુર્લભ છે અને અહીં જોવા નથી મળતો.
અમેરિકાની યુનિવર્સિટીઓમાં ગાઝાના સમર્થનમાં દેખાવો કેમ થઈ રહ્યાં છે?
અમેરિકાની કોલમ્બિયા, યેલ, ન્યૂયૉર્ક જેવી અગ્રગણ્ય યુનિવર્સિટીમાં મોટાપાયે વિદ્યાર્થીઓ ગાઝા પર હુમલાની વિરોધમાં પ્રદર્શનો કરી રહ્યા છે. તેમની અટકાયત કરવા છતાં તેઓ પોતાની માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ગાઝાના સમર્થનમાં દેખાવ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. તેમની માગણીઓ શું છે?
નફરતી ભાષણો માટે જ્યારે ચૂંટણીપંચે બાલ ઠાકરેનો મતાધિકાર છીનવી લીધો હતો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના એક જૂના ભાષણનો હવાલો આપતાં મુસલમાનો વિશે ટિપ્પણી કરી હતી, જેમાં તેમને ‘ઘૂસણખોર’ અને ‘વધારે સંતાનો પેદા કરતાં લોકો’ ગણાવવામાં આવ્યા હતા. ચૂંટણીપંચે તેમની સામે કોઈ પગલાં લીધાં ન હોવાથી વિપક્ષો તેમની સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
માણસના શરીરમાં રહેલું એ 'બીજું હૃદય', તેનું શું કામ હોય છે અને તે કેમ મહત્ત્વનું છે?
આ સ્નાયુ બાબતે સામાન્ય લોકો બહુ ઓછું જાણે છે, પરંતુ તેની પ્રાસંગિકતા બહુ વધારે છે અને તેની પ્રાસંગિકતા આ સ્નાયુ માણસના ઊભા રહેવા કે ચાલવા માટે જરૂરી હોવા પૂરતી મર્યાદિત નથી.
24 કલાકમાં સુરતમાં એવું તો શું બન્યું કે મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા?
સુરત લોકસભા બેઠકના સાત દાયકાના ઇતિહાસમાં 22મી એપ્રિલે પ્રથમ વખત એવી ઘટના બની કે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ લોકસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલાં જ બિનહરિફ ચૂંટાઈ આવ્યા.
અમેરિકા જવા મૅક્સિકોના ડ્રગ લૉર્ડના ખતરનાક વિસ્તારનો પ્રવાસ, પ્રવાસીના જાતઅનુભવની કહાણી
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં દક્ષિણ અમેરિકાની સરહદી પ્રવાસીઓનું આવવું એક મોટો મુદ્દો છે, પરંતુ જે બાબતે બહુ ઓછી જાણકારી છે તે સમગ્ર મૅક્સિકોમાં ફેલાયેલી ડ્રગ કાર્ટેલ છે. આ લોકો ખતરનાક પ્રવાસને વધારે ખતરનાક બનાવી દે છે.